National

શરદ પવારેUPAના નેતૃત્વ અંગેના દાવા ફગાવ્યા; જો કે સેનાએ શરત લગાવી

 

(એજન્સી) તા.૧૧
વરિષ્ઠ રાજનેતા શરદ પવારે એવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તેઓ યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કરશે. તેમણે એવા તમામ અહેવાલો નકારી કાઢ્યા હતા કે સોનિયા ગાંધીની જગ્યાએ હવે તેઓ યુપીએ ગઠબંધનનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. જોકે હવે ખુદ શરદ પવારના આ પ્રકારના ખુલાસા બાદ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દેવાયો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં એનસીપીનો સહયોગી પક્ષ શિવસેનાએ જ તેમને આ ભૂમિકા ભજવવા માટે સમર્થન આપી દીધું છે. આ મામલે ૮૦ વર્ષીય શરદ પવારે કહ્યું કે મીડિયા દ્વારા જે પણ સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે કે હું યુપીએનો આગામી અધ્યક્ષ બનીશે તેમાં કોઈ સત્ય નથી. તેમણે આ ખુલાસો ત્યારે કરવો પડ્યો જ્યારે શિવસેનાએ કહ્યું કે કોંગ્રેસ હવે નબળી થઈ ગઈ છે અને વિપક્ષે હવે એક મંચ પર આવીને નવા નેતૃત્વ અંગે નિર્ણય કરવો જ પડશે. શિવસેના તરફથી સંજય રાઉતે કહ્યું હતું કે જો શરદ પવારને યુપીએના આગામી ચેરમેન બનાવવામાં આવે તો અમને તેનાથી ખુશી થશે. પરંતુ હું સાંભળી રહ્યો છું કે તેમણે ઇનકાર કરી દીધો છે. તે એક મોટા નેતા છે. જો તેઓ તૈયાર હોય તો અમે આ પ્રસ્તાવને સત્તાવાર રીતે સમર્થન આપવા તૈયાર છીએ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.