અમદાવાદ, તા.૧ર
ગુજરાત શિક્ષણ વિભાગમાંથી તમામ શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવા માટે પ્રથમ સરકારી શાળાઓ પછી ગ્રાન્ટેડ શાળાઓ અને હવે સ્વનિર્ભર ખાનગી શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. જો કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ કાર્યક્રમનો બહિષ્કાર કરતાં શિક્ષણ વિભાગ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સામ સામે આવી ગયા છે. ગુજરાત શિક્ષણ વિભાગમાંથી તમામ શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવા માટે દરેક શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે. સર્વપ્રથમ સરકારી શાળાઓ, ત્યાર બાદ ગ્રાન્ટેડ શાળાઓ અને હવે સ્વનિર્ભર-ખાનગી શાળાઓને પણ શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બહિષ્કાર કર્યો છે. તેને પગલે શિક્ષણ વિભાગ અને સ્વનિર્ભર સંચાલક મંડળ સામસામે આવ્યા છે. રાજ્યભરમાં અંદાજે ૧૬,૦૦૦થી વધારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્વનિર્ભર શાળાઓ છે. પરંતુ આ શાળાઓના શિક્ષકોની ઓનલાઇન હાજરીના આદેશનો અમલ થતો નથી. મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું હતું કે, અમે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી અને ચર્ચા વિચારણા બાદ અમે સરકારનો આદેશ સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ.