Gujarat

સંબંધિત તંત્ર દ્વારા સમારકામ ના કરાતાં મહેમદાવાદમાં ઐતિહાસિક ચાર દરવાજા હાલ નષ્ટ થવાના આરે

 

 

(સંવાદદાતા દ્વારા)

મહેમદાવાદ, તા.ર૮

મહેમદાવાદ શહેરમાં તેની ચાર દિશામાં આવેલ ચાર દરવાજાઓ નગરપાલિકાની બે કાળજીમાં નષ્ટ થઈ રહ્યા છે.

મહેમુદ બેગડાએ વસાવેલ ઐતિહાસિક શહેર મહેમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પ્રવેશ દ્વાર હતા. પરંતુ વહીવટદારોની બેકાળજીના કારણે આ દરવાજા નષ્ટ થઈ રહ્યા છે. ખાત્રેજ દરવાજાની સમયસર કાળજી રાખવામાં ના આવતા ભરબપોરે આ દરવાજાની છત તૂટી પડી હતી. સદનસીબે કોઈ અકસ્માત થયો નથી. રિપેરિંગ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાએ વિરોલ દરવાજા તથા ખાત્રેજ દરવાજાનું બાંધકામ સત્વરે હાથ ધરે તેવી નગરજનોની માંગ છે.

 

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.