જામનગર,તા.૧૩
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ડીઝલ ઓપરેટેડ મીની સિટી બસીઝ દોડાવવામાં આવી રહી છે અને શહેરના જુદા-જુદા ૮ રૂટ ઉપર બસ ચલાવવામાં આવે છે. જેમાં આજથી શહેરીજનોને દિવાળી ભેટરૂપે સીએનજી સિટીબસની ભેંટ મળી છે. સી એમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ રાજ્યમંત્રી આર.સી. ફળદુ, હકુભા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે આ નવી સીએનજી બસોને લીલી ઝંડી આપી દોડતી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ધનતેરસના તહેવારને અનુલક્ષીને શહેરને સીએનજી આધારિત બસની નવી ભેટ અપાઇ છે. જામનગરમાં ડીઝલ ઓપરેટેડ બસો દોડાવાઇ રહી છે જેમાં વધારો કરીને નવી ૧૦ સીએનજી બસને દોડાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આજે બપોરે રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષભાઈ જોશી મ્યુનિ. કમિશ્ર્નર સતીષ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાનગર પાલિકાના પટાંગણમાંથી નવી સીએનજી બસોની લીલીઝંડી આપવામાં આવી હતી.