(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન મામલો એકવાર ફરીથી ગરમાયો છે. બોમ્બે હાઈકોર્ટે પૂર્વ જસ્ટિસ અભય થિપ્સેએ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસને લઈ સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ થિપ્સેએ કહ્યું કે, તપાસમાં કંઈક ઉણપ રહી ગઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહને લઈને પૂછેલા સવાલ પર પૂર્વ જસ્ટિસ થિપ્સેએ કહ્યું કે, જે આરોપો પર પોલીસવાળા ફસાયા, એવા જ આરોપોમાં અમિત શાહ કઈ રીતે છૂટી ગયા ? એક જ કેસમાં બે રીતની વાતો કઈ રીતે થઈ શકે.
પૂર્વ જસ્ટિસ અભય થિપ્સેએ કહ્યું કે મને એવું લાગે છે કે જેવી રીતે નોર્મલ કોર્ટમાં કોઈ ટ્રાયલ ચાલે છે. તેવી રીતે આ આ ટ્રાયલ નથી ચાલી રહી. ઘણી બધી વાતો એવી થઈ જે ખાસ કરીને બાકી ટ્રાયલમાં નથી થતી. ઘણા આરોપી છે જેને ઘણા વર્ષો સુધી જમાનત નથી મળી. એવામાં અલગ અલગ કોર્ટે જમાનત અરજીઓને નકારી હતી. આનો મતલબ એ થયો કે, જ્યારે કોઈની વિરૂદ્ધ કેસની પકડ મજબૂત હોય છે ત્યારે જમાનત અરજી ખારીજ થાય છે.
પાંચ સાત વર્ષ બાદ કેટલાક આરોપીઓને જમાનત મળી. સુપ્રીમ કોર્ટે કેટલાક લોકોને જમાનત તો આપી હતી પણ કોઈને એમ ન કહ્યું કે તેમના વિરૂદ્ધ કોઈ કેસ નથી. જો કોઈને પહેલાં જમાનત આપવામાં મુશ્કેલ હતી કે તો પાંચ વર્ષ બાદ કઈ રીતે કહી શકાય કે તેમના વિરૂદ્ધ કોઈ કેસ ન હતું. પૂર્વ જસ્ટિસએ કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટના કેટલાક આદેશોમાં આ પણ લખેલું છે કે પ્રથમ દૃષ્ટિએ તો કેસ છે પરંતુ પાંચ વર્ષથી કસ્ટડીમાં છે તો એ આધાર પર જમાનત આપવામાં આવી. સુપ્રીમ કોર્ટે જે જમાનત આપી તેમાં એ જ કહ્યું કે, જ્યારે કેસ ચાલી જ નથી રહ્યો તો તેમની અટકાયત કરવી ખરી વાત નથી. આની સાથે પૂર્વ જસ્ટિસે કહ્યું કે જે લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે તેમના વિરૂદ્ધ પણ એ જ પુરાવા છે જે મુક્ત કરવામાં આવેલ લોકો સામેના પુરાવા છે. એક કેસમાં બે રીતની વાત ન થઈ શકે. બંને વાતને જોડીને કહેવામાં આવે તો કોઈ કેસ નથી તો આ ખોટું છે. પૂર્વ જસ્ટિસ થિપ્સેએ કહ્યું કે, હાઈકોર્ટની પાસે પાવર છે, જે પણ રિવીઝન ફાઈલ કરવામાં આવી છે તેમની તપાસ કરતા સમય હાઈકોર્ટને લાગે છે કે કંઈક ખોટું છે તો પ્રથમ મામલાઓમાં આ જોવું જોઈએ કે ખરું છે કે નથી.