અમદાવાદ,તા.૩૧
રાજયમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સમયની બચત માટે પ્રથમ તબક્કામાં રૂા.૪૮૭ કરોડના ખર્ચે ૧૦ નવા ફલાયઓવર બનાવવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. કે રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સમય બધ્ધ આયોજન કરાયુ છે. જેના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં આગામી સમયમાં રૂ.૪૮૭ કરોડ ના ખર્ચે નવા ૧૦ ફ્લાય ઓવર બનાવવામાં આવશે. રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હયાત માર્ગોને પહોળા કરવા, કાચા માર્ગોને પાકા બનાવવા તથા ચાર-માર્ગીય રસ્તા ઉપર આવતા જંકશનો ઉપર ફ્લાય ઓવર બનાવવામાં આવશે. જે હેઠળ ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાય ઓવર બનશે. આ અંગે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે ટ્રાફીકના પ્રશ્નોના નિવારણ માટે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે ફ્લાય ઓવરના કામો હાથ ધરાનાર છે તેમાં આણંદ કરમસદ હાઇવે ઉપર બોરસદ ખાતે રૂ.૪૫ કરોડના ખર્ચે, સિધ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.૩૫ કરોડ ના ખર્ચે, પાટણ ના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.૨૭ કરોડ ના ખર્ચે, ભુજ-લખપત રોડ ઉપર રૂ.૩૬ કરોડ ના ખર્ચે બે ફ્લાય ઓવર, મહેસાણા ના મોઢેરાના ચાર રસ્તા ઉપર રૂ.૧૧૦ કરોડ ના ખર્ચે, સુરત-કડોદરા રોડ ઉપર કડોદરા જંકશન ખાતે રૂ.૧૧૦ કરોડ ના ખર્ચે, સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર રોડ પરના માધાપર જંકશન પર રૂ.૬૦ કરોડના ખર્ચે, ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર ધોળાકુવા ખાતે રક્ષા શક્તિ સર્કલ ઉપર રૂ.૫૦ કરોડ ના ખર્ચે, ગાંધીધામ ટાકોર રોડ ઉપર રૂ.૧૭ કરોડ ના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવશે. આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સગવડ માટે તેમજ ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે જરૂરીયાત મુજબ નવા ફ્લાય ઓવર બનાવવાનું પણ રાજ્ય સરકાનું આયોજન છે અને વધુ નવા ઓવરબ્રીજો ની ટુંક સમયમાં મંજુરી આપવામાં આવશે.
રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા રૂા.૪૮૭ કરોડના ખર્ચે ૧૦ ફ્લાયઓવર બનાવાશે

Recent Comments