(એજન્સી) તા.૧૦
સોમવારે લોકસભામાં રજૂ થયેલા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ ર૦૧૯ના વિરોધમાં દિલ્હી યુનિ.માં એબીવીપીના નોર્થ-ઈસ્ટ સેલના ૧૭માંથી ૧ર એક્ઝિક્યુટિવ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. આ સભ્યોનું માનવું છે કે, આ બિલ આસામ માટે નુકસાનકારક છે. ઉત્તર-પૂર્વના આ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, એબીવીપીએ ગુવાહાટીમાં આ બિલના સમર્થનમાં રેલી કાઢતાં તેમણે રાજીનામા આપી દીધા હતા. એબીવીપીમાંથી રાજીનામું આપનાર એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, જ્યારે એબીવીપીના આસામ એકમે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલના સમર્થનમાં રેલી કાઢી ત્યારે અમને ખૂબ અપમાનજનક લાગ્યું હતું. ત્યારબાદ અમે વરિષ્ઠ સભ્યો સાથે આ અંગે ચર્ચા કરી બિલ સામે વિરોધ દર્શાવવા રાજીનામા આપી દીધા હતા.