National

૧૩મા ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડુના શપથગ્રહણ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
વેંકૈયા નાયડુએ ગઈકાલે દેશના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેઓ દેશના ૧૩મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેની સાથે તેઓ રાજ્યસભાના સભાપતિ પણ બની ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ.વેંકૈયા નાયડુને રાજ્યસભાના સભાપતિ તરીકે સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું કે, તેઓ દેશના પહેલાં રાષ્ટ્રપતિ છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો. વેંકૈયા નાયડુ સારી રીતે જાણે છે કે રાજ્યસભામાં કઈ રીતે કામ થાય છે. વડાપ્રધાને કહ્યું કે બધા સાંસદો ભલે એ મનમોહનસિંહની સરકાર હોય કે મારી. પોતાના ક્ષેત્રોમાં વડાપ્રધાન માર્ગ યોજનાની માંગ કરી રહ્યા છે અને આ યોજના આપણને નવા ઉપરાષ્ટ્રપતિની નાયડુએ ભેટ સ્વરૂપે આપી છે. વડાપ્રધાને એ પણ કહ્યું કે, આ સમયે દેશના બધા ટોચના હોદ્દાઓ પર જુદા જુદા તબક્કાઓથી આવેલા લોકો છે જે આપણા બંધારણની પરિપકવતાને દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં શહેરના વિકાસ મંત્રી હોવા છતાં તેઓ ગામડાઓ તથા કૃષિ મંત્રાલયોના કાર્યોમાં પણ રસ લે છે. નાયડુ એક ખેડૂતના પુત્ર છે. તેમણે હંમેશા ગામડાઓના વિકાસ વિશે વાત કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનના દરબાર હોલમાં આયોજિત સમારોહમાં નાયડુને શપથગ્રહણ કરાવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.