(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
વેંકૈયા નાયડુએ ગઈકાલે દેશના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. તેઓ દેશના ૧૩મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેની સાથે તેઓ રાજ્યસભાના સભાપતિ પણ બની ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ.વેંકૈયા નાયડુને રાજ્યસભાના સભાપતિ તરીકે સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું કે, તેઓ દેશના પહેલાં રાષ્ટ્રપતિ છે જેમનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો. વેંકૈયા નાયડુ સારી રીતે જાણે છે કે રાજ્યસભામાં કઈ રીતે કામ થાય છે. વડાપ્રધાને કહ્યું કે બધા સાંસદો ભલે એ મનમોહનસિંહની સરકાર હોય કે મારી. પોતાના ક્ષેત્રોમાં વડાપ્રધાન માર્ગ યોજનાની માંગ કરી રહ્યા છે અને આ યોજના આપણને નવા ઉપરાષ્ટ્રપતિની નાયડુએ ભેટ સ્વરૂપે આપી છે. વડાપ્રધાને એ પણ કહ્યું કે, આ સમયે દેશના બધા ટોચના હોદ્દાઓ પર જુદા જુદા તબક્કાઓથી આવેલા લોકો છે જે આપણા બંધારણની પરિપકવતાને દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં શહેરના વિકાસ મંત્રી હોવા છતાં તેઓ ગામડાઓ તથા કૃષિ મંત્રાલયોના કાર્યોમાં પણ રસ લે છે. નાયડુ એક ખેડૂતના પુત્ર છે. તેમણે હંમેશા ગામડાઓના વિકાસ વિશે વાત કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનના દરબાર હોલમાં આયોજિત સમારોહમાં નાયડુને શપથગ્રહણ કરાવ્યા હતા.