અમદાવાદ,તા.૧
મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીના અવસરે રાજયની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ ૧પ૮ કેદીઓને રાજય માફી આપી જેલમુકત કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. ગૃહ અને જેલ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતીના આ વર્ષમાં ભારત સરકારે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજય માફી આપવામાં આવે છે. અગાઉ બે તબક્કમાં આવા કુલ રર૯ કેદીઓને રાજય માફી આપી કેદ મુકત કરવામાં આવેલા છે. રાજય માફી મળવા પાત્ર કેદીઓને મુકત કરવાના નિર્ણયને ગુજરાતના રાજયપાલની અનુમતી મળતા હવે વધુ ૧પ૮ કેદીઓને જેલમુકત કરવામાં આવશે. ગુજરાતમાં આ સાથે કુલ ૩૮૭ કેદીઓને રાજય માફીનો લાભ આપવામાં આવ્યો છે. મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જે ૩૮૭ કેદીઓને રાજય માફી આપવામાં આવી છે તેની વિગતો આપતા કહ્યું કે, પપ વર્ષ કે તેથી વધુ વયની અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવી ૧ (એક) મહિલા કેદી, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને ખરેખર થયેલ જેલ સજાના પ૦ ટકા કારાવાસ પૂર્ણ કર્યા હોય તેવા પાંચ પુરૂષ કેદીઓ અને એવા ૩૮૧ કેદીઓ કે જેમણે ખરેખર જાહેર થયેલ સજાના ૬૬ ટકા એટલે કે બે તૃંતીયાશ સમયગાળો જેલવાસ ભોગવ્યો હોય તેવા કેદીઓને રાજય માફી આપવામાં આવી છે.