અમરેલી, તા.૨૮
અમરેલી નગરપાલિકાના વહિવટ કરતાં શાસકો અને અધિકારીઓ દ્વારા શહેરમાં રોડ રસ્તા તેમજ નગરપાલિકા દ્વારા થઇ રહેલ ભ્રષ્ટચાર અંગે આજે કોંગ્રેસના સદસ્યો આમરણાંત ઉપવાસ ઉપર બેસતા અને વિરોધ કરતા પોલીસે ૧૬ કોંગ્રેસના સદસ્યોની અટકાયત કરી હતી કોંગ્રેસના સદસ્યો દ્વારા આમરણાંત ઉપવાસ અંગે મંજૂરી માંગેલ પરંતુ પોલીસે નકારાત્મક રિપોર્ટ આપતા મંજૂરી ના મળતા કાર્યક્રમ શરૂ થતાંજ તમામ ૧૬ સદસ્યોની અટકાયત થઇ હતી.
અમરેલી શહેરમાં રોડ રસ્તા તેમજ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટચાર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના કોંગ્રેસના ૧૬ સદસ્યો જેમાં સંદીપ ધાનાણી પાતંજલ કાબરિયા,સહિતના સદસ્યો આજે રાજકમલ ચોક ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરી નગરપાલિકાના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરેલ હતો પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ આમરણાંત ઉપવાસ અંગે કોઈ મંજૂરી મળેલ ન હોવાથી વિરોધ પ્રદર્શન શરૂ કરવાના થોડીજવારમાં પોલીસે કોંગ્રેસના૧૬ સદ્દસ્યોને અટકાયતમાં લઇ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઇ ગઈ હતી પોલીસે રાજકમલ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યાને લઇ નકારાત્મક રિપોર્ટ આપતા કોંગ્રેસના સદસ્યોને ઉપવાસ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવા ના મળતા કોંગ્રેસના સદસ્યોએ પોલીસ સામે પણ રોષ વ્યક્ત કરેલ હતો.