National

જમ્મુ-કાશ્મીર : ભેંસ લઈને જતા ૬પ વર્ષીય વૃદ્ધ પર હુમલો

(એજન્સી) શ્રીનગર, તા.ર૪
જમ્મુ-કાશ્મીર પોલીસે રાજ્યના રામબન જિલ્લામાં ભેંસો લઈને જતા ૬પ વર્ષીય વૃદ્ધ પર કથિત હુમલો કરવા બદલ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પાંચ આરોપી ફરાર છે. એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાએ પગલે પહાડી જિલ્લામાં તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું હતું કારણ કે અફવા ફેલાવનારાઓએ ગાય જાગૃત્તતા પરના હુમલાઓને જવાબદાર ઠેરવ્યા હતા. રામબનમાં તાજેતરમાં જ ટ્રક પર થયેલ હુમલાની અફવાએ બળતણનું કામ કર્યું હતું જ્યારે કેટલાક લોકો દ્વારા બળજબરીથી પશુઓને ટ્રકમાં લઈ જવાઈ રહ્યા હતા. પોલીસે નીલ બટ્ટુના પીડિત ૬પ વર્ષીય વયોવૃદ્ધ અબ્દુલ હમીદ શેખ પર હુમલો કરનાર એસપીઓ જીવનસિંઘ, પ્રભાતસિંઘ, સંજીતસિંઘ અને ધરમસિંઘની ધરપકડ કરી છે. શબનમના એસએસપી મોહનલાલે દાવો કર્યો છે કે, પીડિત અબ્દુલ હમીદ અને પ્રભાતસિંઘના પરિવાર વચ્ચે વિખવાદને પગલે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, પીડિત ગાય લઈને જતો નહોતો કે ન તો ત્યાં કોઈ વર્ણવેલ ગાય જાગૃત્તતા ટોળું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પીડિત સ્થાનિક ગ્રામિણ પાસેથી ભેંસ ખરીદીને લઈ જઈ રહ્યો હતો. જ્યારે પીડિત શેખ રોકડ રકમ લઈને જતા હતા ત્યારે આરોપીએ શેખની પાસેથી રોકડ રકમ ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો. શેખે પોલીસમાં ૬૦,૦૦૦ રૂપિયા તેમની પાસેથી ઝૂંટવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.