Gujarat

રાજકોટમાં વ્યાજખોરોએ માતા-પિતાને ત્રાસ આપતાં સગીરાનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ,તા.૨૮
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. છ દિવસમાં વ્યાજખોરોના ત્રાસનો ત્રીજો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. રોજના ૩૦૦ રૂપિયા વ્યાજ લેખે ૩ દિવસના ૯૦૦ રૂપિયા વ્યાજના ચડત થઇ જતા વ્યાજખોરો માતા-પિતાને સતત ધમકીઓ આપતા હતા. જેને લઇ તેની સગીર દીકરીએ ગળે અને હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના પિતા રહિમભાઇ પઠાણે વ્યાજખોરો પાસેથી ૨૦૧૬માં રૂપિયા ૧.૩૦ લાખ વ્યાજે લીધા હતા. તેમજ અત્યાર સુધીમાં રૂપિયા ૨ લાખ ચૂકવી પણ દીધા હોવા છતાં દસ દિવસમા બાકી રહેતા વ્યાજના ૯૦૦ રૂપિયા નહીં ચૂકવે તો વ્યાજખોરો દ્વારા ફોન પર પરિવારને મારી નાખવાની ધમકીઓ મળતી હતી. ભીસ્તીવાડમાં રહેતા રહિમભાઇ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સતત ધમકીના પગલે ૧૭ વર્ષની પુત્રી ડરી ગઇ હતી. બે વર્ષ પહેલા રહિમભાઇને હાર્ટએટેક આવતા બાયપાસ સર્જરી માટે પૈસા વ્યાજે લીધા હતા. વ્યાજે પૈસા આપવામાં બે પાંચ દિવસ મોડુ થતા સતત ધમકીઓ મળતા પુત્રીએ આ પગલું ભર્યાનો પિતાએ આક્ષેપ કર્યો હતો. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા છ દિવસમાં બે કારખાનેદારના મોત વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને થયા હોવાનું બહાર આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.