Gujarat

આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડવામાં આવે તેની સામે વાંધો

માંગરોળ, તા.૧ર
રબારી-ભરવાડ-ચારણ કે અન્ય કોમને અનામત આપવામાં આવે તેની સામે અમને વાંધો નથી પરંતુ આદિવાસીઓના અધિકાર અને બંધારણીય હક્કો સાથે ચેડાં કરી, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડવામાં આવે એની સામે સખત વાંધો છે. એવી માંગ સાથે આજે માંગરોળ તાલુકા આદિવસી સમાજે માંગરોળના નાયબ મામલતદાર ઓઝારાને એક આવેદનપત્ર રજૂ કર્યું છે.
રાજ્યપાલને સંબોધીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં ભાજપ સરકાર સત્તા ઉપર આવી ત્યારથી આદિવાસીઓ માટે નવા-નવા પરિપત્રો બહાર પાડી આદિવાસીઓને સતત અન્યાય કરાઈ રહ્યો છે. હાલમાં આ ભાજપ સરકારે મૂળ નિવાસી આદિવાસીઓમાં અન્ય કોમનો સમાવેશ કરી આ સરકારે જનજાતિના પ્રમાણપત્રો એનાયત કરી નોકરીઓ પણ આપવામાં આવતા, આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાગીરીઓએ આવું કૃત્ય કરી આદિવાસીઓને ઘમરોળવાનું કામ કર્યું છે. જેથી આવા આદિવાસી નેતાઓ સામે સમાજે આંદોલન કરવાની ફરજ ઊભી થઈ છે. મૂળ નિવાસી આદિવાસીઓને ભણતર અને નોકરીઓમાંથી વંચિત કરી દેવાનું કાવતરૂં આ ભાજપની સરકાર કરી રહી છે. અંતમાં આ મનસ્વી નિર્ણય પરત ન ખેંચાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.