(એેજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
સરકારે એર ઈન્ડિયાનો પોતાનો સમગ્ર ૧૦૦ ટકા હિસ્સો વેચવા નિર્ણય કર્યો છે. એરલાઈનનું ખાનગીકરણ સરકારની વિનિવેશીકરણની પ્રસ્તાવિત યોજના હેઠળ કરવામાં આવશે. રાજ્યકક્ષાના કેન્દ્રીય ઉડ્ડયન મંત્શ્રી હરદીપ સિંઘ પુરીએ માહિતી આપી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સરકારની માલિકી ધરાવતી એર ઈન્ડિયા નુકસાન કરી રહી છે. એમના ઉપર પ૦ હજાર કરોડનું દેવું થઈ ગયું છે. લોકસભામાં મંત્રી હરદીપ પુરીએ માહિતી આપી જણાવ્યું હતું કે નવી સરકારની રચના પછી એર ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમનું પુનર્ગઠન કરાયું હતું અને નિવેશીકરણની પ્રક્રિયા પુનઃ શરૂ કરી હતી જેમાં એર ઈન્ડિયાના વેચાણને મંજૂરી અપાઈ હતી. પુરીએ માહિતી આપી હતી કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રપ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેમાં એરપોર્ટોના વિકાસ આધુનિકીકરણ અને વધુ માળખાકીય સુવિધાઓ ઊભી કરશે. પુરીએ કહ્યું કે સરકારે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે ઘણા પગલા લીધા છે જેમાં જેટ એરલાઈનના વિમાનો અન્ય એરલાઈનોને વેચવા પ્રયાસો કર્યા છે. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં એર ઈન્ડિયાને અંદાજિત ૮પપ૬-૩પ કરોડ રૂપિયા નુકસાન થયું હતું.