વોશિંગ્ટન,તા.૧૯
ભારત સરકારે ભારતની યાત્રા માટે અમેરિકાની આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંસ્થા (USCIRF)ને વીઝા આપવા ઈનકાર કર્યો છે.
પંચની યાત્રાનો લક્ષ્ય રાષ્ટ્રમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ઉપર ચર્ચા અને મૂલ્યાંકન કરવાનો હતો.
USCIRFના અધ્યક્ષ રોબર્ટ વી. જોર્જે કહ્યું અમે ભારત સરકાર દ્વારા આ વીઝાના પ્રભાવથી ઉંડી રીતે નિરાશ છીએ. એક બહુલતાવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી રાજય અને અમેરિકાના નજીકના સાથીના રૂપે ભારતને અમારી યાત્રાને પરવાનગી આપવા વિશ્વાસ હોવું જોઈએ. અમે કેટલાક દેશોની યાત્રા કરવામાં સક્ષમ રહ્યા છીએ. જેમાં પાકિસ્તાન, સઉદી અરબ, વિયેતનામ, ચીન અને મ્યાનમાર સહિત ધાર્મિક સ્વતંત્રતાના સૌથી વધુ ખરાબ ગુનેગારો સામેલ છે. કોઈ પણ આશા રાખશે કે ભારત સરકાર આ દેશોની સરખામણીમાં વધુ પારદર્શિતાની પરવાનગી આપશે અને અમને પોતાના વિચારો વ્યકત કરવાની તકો આપશે.
ભારતે અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા સંસ્થાને વીઝા આપવાનો ઈનકાર કરી દેતા અમેરિકા નિરાશ

Recent Comments