(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે શુક્રવારે અભિનેતામાંથી રાજકારણી બનેલા સની દેઓલ કે જેઓ લોકસભા ચૂંટણીઓમાં ગુરદાસપુરમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જણાવ્યું હતું કે, તેઓ માત્ર ફિલ્મી સૈનિક છે જે ૧૯૯૭માં બનેલી ફિલ્મ ‘બોર્ડર’માં ૧૯૭૧ના યુદ્ધના હિરો રહેલા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીનું પાત્ર ભજવ્યું હતું. કેપ્ટન અમરિન્દર સિંહે પોતે સૈન્યમાં સેવા આપી છે તેઓ ગુરદાસપુરમાં કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડ માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સની દેઓલ માટે મતક્ષેત્રમાં કોઈ જ સમર્થન નથી. ‘‘તે (સની દેઓલ) એક ફિલ્મી સૈનિકો છે જ્યારે હું અસલ સૈનિક છું’’ અમરિન્દર સિંહને સૂત્રોએ કહેતા ટાંક્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે તેને હરાવી દઈશું. સુનિલ જાખડ કે કોંગ્રેસને તેનાથી કોઈ જોખમ નથી. સનીએ ભલે ‘બોર્ડર’(ફિલ્મ)માં ર૩ પંજાબની (રેજિમેન્ટનો) બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું પાત્ર ભજવ્યું હોય પણ તેનાથી તે અસલ સૈનિક બની જતો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજકારણમાં જોડાયેલા દેઓલમાં સની ત્રીજો છે. ધર્મેન્દ્ર અને તેની પત્ની હેમા માલિની પહેલાંથી જ ભાજપમાં જોડાયેલા છે.