(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૬
કોડીનાર તાલુકાના ગોહીલની ખાલ ગામે ખેતીવાડી વિજ કનેક્શનનું જોડાણ ચાલુ કરવામાં નહી આવે તો ખેડૂતે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારતા ચકચાર મચી છે.
આ ઘટનાની વિગત મુજબ મનુભાઈ ભીખાભાઈ ગોહિલે મુખ્ય મંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણમાં કરેલી ફરિયાદ મુજબ ગોહિલની ખાણ ગામે લમની ખેતીની જમીનમાં વિજ કનેક્શનનો નંબર આવી ગયો હોય વીજ જોડાણના કોટેશન ન રકમ ભરપાઈ કરી દીધી સાથે ચેડા કરી ખોટા આધાર પુરાવા ઉભા કરી માલીકીનો કુવો ગ્રામ પંચાયતના નામે ચડાવી દીધું હોય જેના લીધે મનુભાઈ ગોહિલને વિજ જોડાણ મળતું ન હોય આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય જો આ અંગે તાત્કાલીક સરકારી રેકોર્ડમાં ચેડા કરનાર ગોહીલની ખાણ ગામનાં સરપંચ તલાટી અને સર્કલ ઓફિસર સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધી જો મનુભાઈનુ વિજ જોડાણ તા.ર/૬/૧૮ સુધીમાં ચાલુ કરવામાં નહીં આવે તો ના છુટકે તા.૩/૬/૧૮ના સાંજના ૪ કલાકે તેમની વાડીમાં આવેલ કુવા કાઠી મનુભાઈ ગોહીલ શરીરે કેરોસીન છાટી જવતા સળગી જઈ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
વિજ જોડાણ ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતની આત્મવિલોપનની ચીમકી

Recent Comments