કોલકાત્તા, તા.૧૪
પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી પાંચ વન-ડે મેચોની સિરીઝ જીતશે પણ તેમણે કહ્યું કે પ્રવાસી ટીમ વિરૂદ્ધ પ-૦ના વ્હાઈટવોશની સંભાવના ખૂબ જ ઓછી છે. ગાંગુલીએ કહ્યું કે સ્વદેશમાં ભારતને હરાવવું ઘણું મુશ્કેલ છે. ભારત જીતશે પણ પ-૦ (જેવું કે શ્રીલંકા વિરૂદ્ધ થયું) કદાચ સંભવ નથી. કારણ કે ઓસ્ટ્રલિયા ઘણી મજબૂત ટીમ છે. સાથે જ તેમણે પસંદગીકારોની સરેરાશ નીતિનું પણ સમર્થન કર્યું છે. વિશ્વકપ ર૦૧૯ને જોતા આ સારૂં પગલું છે. આપણી પાસે તૈયારીનો પૂરતો સમય છે. બધાને તક મળશે ટીમ તૈયાર કરવા માટે. તમને આની જ જરૂર છે. ગાંગુલીએ જો કે કહ્યું કે ભારતના સર્વશ્રેષ્ઠ મેચ વિનરોમાં સામેલ યુવરાજસિંહની કારકિર્દી હજી સમાપ્ત થઈ નથી. જો તે સંઘર્ષ કરવાનું ચાલુ રાખશે તો પુનરાગમન કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત સિરીઝ જીતશે પણ વ્હાઈટવોશની સંભાવના નથી : ગાંગુલી

Recent Comments