(એજન્સી) પણજી તા. ૫
આગામી વર્ષમાં ચૂંટણીઓ થવાની છે, એવામાં ગોવાના મુખ્ય પાદરી ફિલિપ નેરી ફેરારોએ પણ બધા ચર્ચોને સલાહ આપી છે કે, તેઓ પણ રાજકરણમાં પોતાની સક્રિય ભાગીદારી નિભાવે કારણ કે, ભારતીય બંધારણ ખતરામાં છે અને બધાને એક જ મુજબની સંસ્કૃતિ થોપવામાં આવી રહી છે. આ વાત ગોવાના આર્કબિશપે પાદરીઓ માટે લખવામાં આવેલા પોતાના વાર્ષિક પત્રમાં આના સંદર્ભે વાત કરી છે. આર્કબિશપ ફિલિપ નેરી ફેરાઓએ કહ્યુ છે કે ૨૦૧૯ની ચૂંટણી નજીક હોવાને કારણે સમુદાયે માનવાધિકાર અને બંધારણની સુરક્ષા માટે આગળ આવવું જોઈએ. તેમનો દાવો છે કે આજે બંધારણ ખતરામાં છે અને તેને કારણે લોકો અસુરક્ષા મહસૂસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગોવામાં ૨૬ ટકા કેથોલિક ખ્રિસ્તીઓ વસવાટ કરે છે. ફિલિપ નેરી ફેરાઓએ આરોપ લગાવ્યો છે કે હાલ દેશમાં એક ખાસ પ્રકારની સંસ્કૃતિનો ઉભાર થઈ રહ્યો છે. તાજેતરમાં દેશમાં એક નવો ટ્રેન્ડ જન્મ લઈ રહ્યો છે. કે કોણ શું ખાશે, શું પહેરશે. કેવી રીતે પૂજા કરશે અને રહેણી-કરણીને નક્કી કરવાની કોશિશ થઈ રહી છે. તેમણે આગળ લખ્યું કે, આ સલાહ આપવામાં આવે છે કે, એક વફાદાર રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા નિભાવે છે, તેઓને નિભાવવી જોઈએ જોકે આ કરતા સમયે પોતાના વિવેકના નિર્દેશોનું પાલન કરે અને ચાપલુસીની રાજનીતિથી દૂર રહે. આનાથી જ્યાં એક તરફ લોકતંત્ર મજબૂત બનશે ત્યાંજ બીજી તરફ રાજ્ય પ્રશાસનના કામકાજ પર સુધારો કરવામાં મદદ મળશે.સામાજિક ન્યાયના આદર્શ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફેરારોએ આગળ કહ્યું કે, આખા દેશમાં લોકોને એમની જમીનો અને ઘરોમાંથી વિકાસના નામ પર બહાર નીકળવામાં આવી રહ્યા છે. પાદરીએ ચેતવણી આપતાં કહ્યું કે, માનવધિકારોને કચડવામાં આવી રહ્યો છે.
નોંધીનીય છે કે, થોડા સમય પહેલા દિલ્હીના પાદરી અનિલ કોટોએ પણ એક પત્ર લખીને કહ્યું હતું કે, ભારત એક અશાંત રાજકીય માહોલનો સાક્ષી બની રહ્યું છે અને સમુદાયને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં એક પ્રાર્થના અભિયાન ચલાવવું જોઈએ. આ પ્રથમ વાર છે કે ગોવાના પાદરીએ લોકોને જાહેરમાં ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.