(એજન્સી) તા.૧૭
ઓલ ઈન્ડિયા મજલીસે-ઈત્તેહાદુલ-મુસ્લેમીન (એઆઈએમઆઈએમ) અને પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી ભારિપા બહુજન મહાસંઘ (બીબીએમ) વચ્ચેના ગઠબંધનને ‘બોગસ’ ગણાવતા શિવસેનાએ રવિવારે કહ્યું હતું કે, આ પ્રકારનું રાજકીય પગલું સારો સંકેત નથી. સેનાએ દાવો કર્યો હતો કે આ ગઠબંધનથી ફક્ત ભાજપને ફાયદો થશે. શિવસેનાએ આ આક્ષેપ કર્યો હતો કે બીવીએમના પ્રમુખ કે જે ડો. બી.આર. આંબેડકરના પૌત્ર છે તે તેમના સમુદાયના લોકોની સાથે જ વિશ્વાસઘાત કરવા માગે છે. કોઈ પણ પક્ષનું નામ લીધા વગર શિવસેનાએ કહ્યું હતું કે, ઓવૈસી અને આંબેડકરનું આ ગઠબંધન ફક્ત અને ફક્ત કોઈને હરાવવા માટે થયું છે અને આ એક યોજનાબદ્ધ વ્યૂહરચના છે. સેનાએ તેના મુખપત્ર ‘સામના’માં કહ્યું હતું કે, અત્યારસુધી આ બંને પક્ષો પડદા પાછળ રહીને ભાજપને સહયોગ આપતા હતા પરંતુ હવે તેઓ ભગવા પાર્ટીને મદદ કરવા માટે ખુલ્લેઆમ આગળ આવશે.
AIMIM અને ભારિપા બહુજન મહાસંઘ વચ્ચેનું પ્રસ્તાવિક ગઠબંધન ‘બોગસ’ છે, તે ભાજપને મદદ કરશે : શિવસેના

Recent Comments