(સંવાદદાતા દ્વારા) વઢવાણ, તા.૩૦
ભાજપના યુવા સંગઠનને મજબૂત બનાવવા અને ડૉ.ઋત્વીજ પટેલની બાઈક રેલી અને સભામાં ભાજપ સામે પટેલ સામે વિરોધ હોવાના કારણે વઢવાણ પાસે ૧૪ જેટલા પાસના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી અને ભારે વિરોધ દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પાસના ૧૪ કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ. જેમાના અમીત મહેશભાઈ પટેલ-સુરેન્દ્રનગર, હસમુખ રામજીભાઈ પટેલ-લખતર, સંદીપ રામજભાઈ પટેલ-વઢવાણ, તેજસ દિનેશભાઈ પટેલ-લખતર, મહેશભાઈ દેવરાજભાઈ પટેલ-વઢવાણ સહિત ૧૪ની અટકાયત કરવામાં આવેલ હતી. પાસના કન્વીનર અમીત પટેલે જણાવ્યું હતું કે, સમાજ ઉપયોગી ન હોય તેવી સરકાર અને તેમાં રહેલા સમાજના હોદ્દેદારોની સમાજને જરૂરત જ નથી ત્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલે જણાવેલ છે કે, ભાજપની તાનાશાહી ચાલે છે. જેમાં કોંગ્રેસ પાસના કાર્યકરો સાથે જ છે તેવું જણાવેલ હતું. જ્યારે ભાજપના જિલ્લા યુથ મોરચાના મૃગેશ રાઠોડે જણાવ્યું કે, ભાજપ સાથે જ પાટીદાર છે અને રહેવાના છે.