(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૨૦
ચુડાના ખાંડિયા ગામે કોળી યુવાનની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની ચુડા પી.એસ.આઈ. એ.એચ.ગોરીએ તપાસ હાથ ધરતા આ યુવાન ખાંડિયા ગામે રહેતો ભરત રસિકભાઈ રોજસરા તેના પત્ની ગીતાબેન અને તેના બે બાળકોની સાથે રહેતો હતો. જેમાં રમેશ રણછોડ ઓળકિયા નામના શખ્સને ગીતાબેન સાથે પ્રેમસંબધો હતા. આ સંબધો અંગે ગીતાબેનના પતિ ભરતને શંકા પટેલ ત્યારે ૧પમી ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ દરમ્યાન ૪ વાગ્યાના અરસામાં ગીતાબેને પોતાના ફોનથી રમેશને ખાંડિયા સીમમાં મહાદેવજીના મંદિરે બોલાવ્યો હતો. જ્યાં ભરતભાઈ રસિકભાઈ તેમજ ભાણેજ ઈકવરાભાઈ અરજણભાઈ બાવળિયા વગેરે એ ભેગા મળી રણછોડનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
ત્યારબાદ કોઈ જવલંત નશીલો પદાર્થ નાંખી લાશને સળગાવી નાખેલ હતી. આ અંગે દિપાભાઈ ફરિયાદ નોંધાવતા લાશનો કબજો લઈ અને પી.એમ. માટે લાશને રાજકોટ મોકલવામાં આવેલ અને તપાસ હાથ ધરાતા હત્યાના બનાવ અંગેનો પર્દાફાશ થયો હતો.
ચુડાના ખાંડિયા ગામે યુવાનની મળેલ લાશનો ભેદ ઉકેલાયો

Recent Comments