પ્રાંતિજ, તા. ૧૦
સાબરકાંઠા જિલ્લાના એક દિવસ્ય પ્રવાસે આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાંતિજના વદરાડ નર્સરી મુલાકાત બાદ તલોદના વાવ ખાતે સમૂહલગ્નમાં હાજરી આપી હતી.
પ્રાંતિજના વદરાડ ખાતે સેન્ટર ઓફ એકસલન્સની પ્લગ નર્સરીની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી. તો ગ્રીનહાઉસમાં થતી ખેતી તથા તૈયાર થતો ધરૂ સહિત કાકડી તથા ટામેટાની ખેતી મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી અને તેમના પત્નીએ નર્સરીમાં થયેલ કાંકડીનો સ્વાદ માણ્યો હતો. તો નર્સરી મુલાકાત બાદ ખેડૂતો સાથે સીંધી ચર્ચાઓ કરી હતી અને ખેડૂતોના પ્રશ્નો સહિત સમસ્યાઓની ચર્ચા થઇ હતી. બપોરનું ભોજન પણ ત્યાંજ લીધું હતું અને ત્યાંથી બપોરબાદ તલોદના વાવ ખાતે વાવ સર્વજ્ઞાતિ પાંચમો સમૂહલગ્નોત્સવમાં હાજરી આપી હતી. સમૂહલગ્નોત્સવમાં ૪૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. જેઓને મુખ્ય મંત્રી દ્વારા ફુંવરબાઇનું મામેરૂ પેટે દસ-દસ હજારના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. તો નવદંપત્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.