Ahmedabad

કોંગ્રેસ કૌભાંડોની પાર્ટી બની છે : રવિશંકરના આક્ષેપ

ગાંધીનગર, તા.૮
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને જણાવ્યું કે, મણિશંકર અય્યર માફી માંગે. અય્યરે માંગેલ માફીમાં પણ જો અને તો તેમજ ગોળ ગોળ વાતો છે. તેઓ જણાવે છે કે, મને હિંદી આવડતું નથી પરંતુ ઉર્દૂ આવડે છે જ્યારે તેઓ યુપીએ સરકારમાં મંત્રી હતા ત્યારે સંસદમાં શુદ્ધ હિન્દી બોલતા હતા. હવે માફી પણ ઉર્દૂમાં માંગે છે. તેમનો પાકિસ્તાન માટેનો પ્રેમ પણ જગ જાહેર છે. મોદીની વિરુદ્ધમાં પાકિસ્તાનના પ્લેટફોર્મ પર જઇને નિંદા કરી હતી. રાજનીતિમાં વ્યંગ અને રમૂજ થતાં રહે છે અને તે લોકતંત્રનો એક ભાગ છે પરંતુ નિમ્ન સ્તર પર જઇને ગાળી ગળોચ પ્રકારની ભાષા એ કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે. મોદી માટે કોંગ્રેસ પાર્ટીના સભ્યો હિન્ન ભાષામાં નિમ્ન કક્ષાના પ્રશ્નોનો પ્રયોગ કરે છે. સોનિયા ગાંધી, દિગ્વિજયસિંહ, મણિશંકર અય્યર અને અગ્રણીઓ આ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરતા રહે છે. કોંગ્રેસ કૌભાંડોની પાર્ટી છે. જીએસપીસી સામે અભ્યાસ કર્યા વગર બૂમો પાડવામાં આવે છે.