સુરત, તા.ર૮
હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી એમ. દુધરેજિયાના પરિવારે તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા ચિંધી છે.સુરતથી મુંબઈનું ૨૯૧ કિં.મી.નું અંતર ૧૧૦ મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની ૨૪ વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. ખુશી દુધરેજીયાના પરિવારે માનવતાલક્ષી કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૫૩ કિડની, ૧૪૨ લીવર, ૭ પેક્રીઆસ, ૨૫ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૮ ચક્ષુઓ કુલ ૭૮૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૨૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.