અમદાવાદ, તા.રપ
ગુજરાત રાજ્યના ૧૩માં મુખ્યમંત્રી દિલીપ પરીખનું આજે અમદાવાદમાં ૮૨ વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં ૨૮મી ઓક્ટોબરથી ૧૯૯૭થી ૪થી માર્ચ ૧૯૯૮ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યમંત્રી બન્યા હતા.
દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને પ્લાસ્ટિકના વેપારી પણ હતા. તેઓ ૧૯૯૦માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ રહ્યા. અને પ્રથમ વખત ૧૯૯૫માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા. દિલીપ પરીખનો જન્મ ૧૯૩૭માં થયો હતો મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૯૦માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા. પ્રથમ વખત ૧૯૯૫માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા દિલીપ પરીખ બાપુ સાથે હતા. શંકરસિંહે રાજીનામુ આપતા દિલીપ પરીખે રાજ્યના ૧૩માં ઝ્રસ્ બન્યા હતા. દિલીપ પરીખ ઉંમરના કારણે લાંબા સમયથી રાજકારણમાંથી નિષ્ક્રીય હતા. તેઓ જાહેર જીવનમાં પણ ખાસ જોવા મળતા નહોતા. શંકરસિંહ વાઘેલાએ જનવિકલ્પની સ્થાપના કરી તે સમયે એકાદ વખત તેઓ જોવા મળ્યા હતા અને બાપુને અમારો સહયોગ છે તેવું કહ્યું હતું પરંતુ તેઓ રાજનીતિમાં ક્યાંય સક્રિય નહોતા.
ગુજરાતના ૧૩મા મુખ્યમંત્રી દિલીપ પરીખનું નિધન

Recent Comments