(એજન્સી) મુંબઈ, તા.ર૪
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેંક(પીએમસી) બેંકના થાપણદારો પર તેમના ખાતામાંથી ઉપાડ કરવા પર અંકુશો લાદી દીધા છે. રિઝર્વ બેંકના આદેશ મુજબ થાપણદારો હવે તેમના દરેક બચત બેંક ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ થાપણ ખાતામાં કોઈપણ નામના ખાતામાંથી કુલ થાપણના રૂ.૧૦૦૦ એટલે કે એક હજારથી વધુ રકમનો ઉપાડ નહીં કરી શકે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અલબત એ જણાવ્યું છે કે, થાપણ ઉપાડ પર અંકુશો એટલે પીએમસી બેંકનું લાઈસન્સ રદ થયું એવું નથી. પીએમસી તેનો બેંકિંગ બિઝનેસ નવા આદેશો કે નોટીસ સુધી અંકુશો સાથે ચાલુ રાખી શકશે. સંજોગો પ્રમાણે રિઝર્વ બેંક તેમના આદેશોમાં બદલાવ કરી શકે છે. આ અંકુશો ૨૩,સપ્ટેમ્બરના બેંકનો બિઝનેસ બંધ થયાથી છ મહિના માટે રહેશે.
આ ઉપરાંત રિઝર્વ બેંકના આદેશો મુજબ શહેરી સહકારી બેંક પીએમસી બેંક હવે કોઈપણ લોનો કે ધિરાણો આપી શકશે નહીં કે રીન્યુ નહીં કરી શકે અને કોઈપણ ફંડનું બોરોઈંગ અથવા નવી થાપણો સ્વિકારી નહીં શકે અને કોઈપણ ચૂકવણી કરી નહીં શકે અને આ કોઈપણ ચૂકવણી કરવાની મંજૂરીઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગોતરી પરવાની વિના નહીં આપી શકે. માહિતી સામે આવ્યા બાદ મુંબઈમાં બેંકની સામે ગ્રાહકોએ ભારે હંગામો શરુ કરી દીધો છે. રિઝર્વ બેન્ક દ્વારા અપાયેલા આદેશ પ્રમાણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક પર બેન્કિંગ રેગ્યુલેશનની કલમ ૩૫ એ હેઠળ નવી લોન આપવા માટે અને બિઝનેસ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. બેન્કે કોઈ પણ લેવડ દેડવ માટે પહેલા આરબીઆઈની લેખિત મંજૂરી લેવી પડશે. બેન્ક પોતાની મરજીથી કોઈ જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ પણ કરી નહી શકે. જોકે કર્મચારીઓની સેલેરી જેવી અત્યંત જરુરી બાબતોમાં બેન્કને છુટછાટ આપવામાં આવી છે.
પંજાબ-મહારષ્ટ્ર કો.બેંકમાંથી નાણાંના ઉપાડની મર્યાદા રૂા.૧૦૦૦ કરી દેવાતાં ડિપોઝિટરો મુશ્કેલીમાં મૂકાયા

Recent Comments