(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડો.ફારૂક અબ્દુલ્લાહે કહ્યું છે કે, ભગવાન રામ પૂરા વિશ્વના છે અને સર્વવ્યાપી છે ત્યારે માત્ર અયોધ્યામાં જ કેમ રામમંદિર બનાવવાની વાત થાય છે ! તેમણે મંદિર મુદ્દે નવો વિવાદ ઊભો કર્યો હતો.
ડો.અબ્દુલ્લાહે આ વાત કોંગ્રેસ નેતા મનીષ તિવારીના ફેબ્લસ ઓફ ફ્રેકચટર્ડ ટાઈમ્સ પુસ્તક વિમોચન પ્રસંગે કહી.
જેડીયુ નેતા પવન વર્માએ ફારૂક અબ્દુલ્લાહની એ વાતનો વિરોધ કરી કહ્યું કે, અયોધ્યામાં હિન્દુઓ ઈચ્છે છે તો રામમંદિર નિર્માણ થવું જોઈએ. સવાલ એ નથી કે શું રામમંદિર બનવું જોઈએ ? હિંસાથી કે આમ સહમતીથી કે કોર્ટના આદેશથી વર્માએ ફારૂક અબ્દુલ્લાહને પૂછ્યું કે, તેઓ શું મંદિર મુદ્દે કોર્ટનો હુકમ માનશે ?
ડો.અબ્દુલ્લાહે કહ્યું કે, બિહારમાં સીતામણિમાં દેવી સીતાનું મંદિર કેમ ન બને ? મુસલમાનોએ કોર્ટના આદેશને માનવા સંમતિ આપી છે. પવન વર્માએ કહ્યું કે, હવે અમે એક કરારમાં છીએ.
ડો.અબ્દુલ્લાહે વાજપેયીના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે વાજપેયીને સ્વસ્થ હતા ત્યારે ભારતરત્ન આપવાની જરૂર હતી. કોંગ્રેસ ક્ષેત્રીય નેતાઓને આગળ લાવવાની જરૂર છે. આમ ન કરવાથી પાર્ટીને પરેશાનીનો સામનો કરવો પડે છે.