National

રામમંદિર પર ફારૂક અબ્દુલ્લાહ બોલ્યા, રામ પૂરા વિશ્વના છે તો મંદિરનું નિર્માણ અયોધ્યમાં જ કેમ ?

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડો.ફારૂક અબ્દુલ્લાહે કહ્યું છે કે, ભગવાન રામ પૂરા વિશ્વના છે અને સર્વવ્યાપી છે ત્યારે માત્ર અયોધ્યામાં જ કેમ રામમંદિર બનાવવાની વાત થાય છે ! તેમણે મંદિર મુદ્દે નવો વિવાદ ઊભો કર્યો હતો.
ડો.અબ્દુલ્લાહે આ વાત કોંગ્રેસ નેતા મનીષ તિવારીના ફેબ્લસ ઓફ ફ્રેકચટર્ડ ટાઈમ્સ પુસ્તક વિમોચન પ્રસંગે કહી.
જેડીયુ નેતા પવન વર્માએ ફારૂક અબ્દુલ્લાહની એ વાતનો વિરોધ કરી કહ્યું કે, અયોધ્યામાં હિન્દુઓ ઈચ્છે છે તો રામમંદિર નિર્માણ થવું જોઈએ. સવાલ એ નથી કે શું રામમંદિર બનવું જોઈએ ? હિંસાથી કે આમ સહમતીથી કે કોર્ટના આદેશથી વર્માએ ફારૂક અબ્દુલ્લાહને પૂછ્યું કે, તેઓ શું મંદિર મુદ્દે કોર્ટનો હુકમ માનશે ?
ડો.અબ્દુલ્લાહે કહ્યું કે, બિહારમાં સીતામણિમાં દેવી સીતાનું મંદિર કેમ ન બને ? મુસલમાનોએ કોર્ટના આદેશને માનવા સંમતિ આપી છે. પવન વર્માએ કહ્યું કે, હવે અમે એક કરારમાં છીએ.
ડો.અબ્દુલ્લાહે વાજપેયીના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે વાજપેયીને સ્વસ્થ હતા ત્યારે ભારતરત્ન આપવાની જરૂર હતી. કોંગ્રેસ ક્ષેત્રીય નેતાઓને આગળ લાવવાની જરૂર છે. આમ ન કરવાથી પાર્ટીને પરેશાનીનો સામનો કરવો પડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.