(સંવાદદાતા દ્વારા) છાપી, તા.૨૭
વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મીનું મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માત માં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્‌ ના ચન્દ્રપુર-નાગપુર વચ્ચે હાઇવે ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીર નો કાફલો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સુરક્ષા કાફલા માં તૈનાત સુરક્ષા કર્મીઓ ના વાહન સામે કાલમુખી ટ્રક ઘુસી જઇ સુરક્ષા કર્મી ઓના વાહન સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે સુરક્ષા કર્મી ફલજીભાઈ સરદારભાઇ ચૌધરી (રહે. ભોગરોડીયા તા. વડગામ) સહિત ડ્રાઇવર નું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે ચાર થી પાંચ સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા આ ઘટના ના સમાચાર વાયુવેગે તાલુકા માં પ્રસરતા સમગ્ર તાલુકા માં શોકની લાગણી છવાઈ ગઈ હતી શહીદ વીર જવાન ના મૃતદેહ ને શુક્રવાર બપોરે અંતિમ ક્રિયા માટે વતન ભાંગરોડીયા માં લાવવામાં આવતાં શહીદ ના દર્શન કરવા હજારોની સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી વીર શહીદ અમર રહો ના નારા થી અંતિમ વિદાય આપવા માં આવી હતી શહીદ ના અંતિમ ક્રિયા માં સીઆરપીએફ ના ઓફિસરો છાપી પોલીસ સહિત જવાનો દ્રારા ગાર્ડ ઓફ ઓર્નર આપી શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફલજીભાઈ પરિવારને મળવા પંદર દિવસ પૂર્વે વતન આવ્યા હોતા ત્યારબાદ આ દુઃખદ ઘટના ઘટી હતી.