અમરેલી, તા.૧૯
ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળીની ખરીદીમાં ગોલમાલ થતા ખેડૂતોએ બપોર સુધી ખરીદી બંધ કરાવતા, પ્રાંત અધિકારી ખાંભા દોડી આવ્યા બાદ મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી.
ખાંભા માર્કેટિગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની મગફળી લેવાના પહેલા દિવસે જ ખાંભા માર્કેટિંગ યાર્ડમાં વિખવાદ ઊભો થયો હતો અને ખાંભા મામલતદારની બેદરકારીથી પહેલા દિવસે ટારગેટ મુજબ ૫૦ ખેડૂતોની જગ્યા ૧૦૦ ખેડૂતોને મેસેજ મોકલી દેવાતા ખેડૂતોની લાઈનો લાગી હતી અને ખેડૂતો પોતપોતાની મગફળી લઇ પહોંચી ગયા હતા ત્યારે તંત્ર દ્વારા પહેલા દિવસે એક વજન કાટો અને ૬ મજૂર જ રાખવાથી માત્ર ૧૦ જેટલા ખેડૂતોની મગફળી લેવાતા ખેડૂતો રઝળી પડ્યા હતા અને અમુક ખેડૂતોને તો વજન ઓછો છે કહીને મગફળી રિજેક્ટ કરી નખાતા ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એકવાર ખેડૂતો એ સોમવારે હોબાળોે મચાવ્યો હતો અને તંત્ર દ્વારા ખેડૂતોની મગફળના બારદાનનું વજન ૭૦૦ ગ્રામના બદલે એક કિલો અને ૧૦૦ ગ્રામ વજનથી મગફળીની ખરીદી કરી અને ખેડૂતોની ૪૦૦ ગ્રામ વધારે મગફળી તંત્રએ ખરીદી કર્યાનો આક્ષેપ થયો હતો અને ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીના બારદાનનું વજન કરવમાંં આવ્યું તો ૭૦૦ ગ્રામ થયું હતું અને તંત્ર દ્વારા ૧ કિલો અને ૧૦૦ ગ્રામ બારદાનના વજન લેખે મગફળી જોખી લેતા ખેડૂતોની ૪૦૦ ગ્રામ વધારે જોખતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને મગફળીની ખરીદી બપોર સુધી બંધ કરાવી હતી બાદ ધારીથી પ્રાંત અધિકારી દોડી આવ્યા હતા અને ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મીટિંગ યોજી અને ખેડૂતો સાથે સમજાવટ થતા બપોર બાદ મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી.