(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૨
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર ગુજરાતના માઈનોરિટી ચેરમેનોની તથા હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ખુરશીદ સૈયદ તથા ગુજરાત માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચર્ચા વિચારણા કરી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટમાં ચેરમેન ખુરશીદ સૈયદે બેઠકમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નવસર્જનમાં લઘુમતિઓએ પણ સક્રિય પણે ભાગ લઈ ૨૨ વર્ષથી ચાલતા ભાજપના કુશાસનનો અંત લાવવાનો છે સાથે જ આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને ભારે બહુમતીથી જીતાડી લાવવા હોદ્દેદારોને આહ્વાન કર્યું હતું. ગુજરાત માઈનોરિટી કોંગ્રેસના ચેરમેન ગુલાબખાન રાઉમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓના કોંગ્રેસ લઘુમતિઓના ચેરમેનો તથા હોદ્દેદારોએ આવનાર ચૂંટણીઓમાં પક્ષને જીતાડી લઘુમતિઓની ફરિયાદો તથા તકલીફો જાણી તેનું નિરાકરણ લાવવા માટે સતત સક્રિય રહેવું પડશે. આ પ્રસંગે કોંગ્રેસ લઘુમતિ ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન ચિરાગ શેખ તેમજ હોદ્દેદારો સુશીલ મેકવાન, ઈકબાલ ધોરી, ઈરફાન પિરઝાદા, કરીમાબેન પઠાણ તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના લઘુમતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન હાજી જુનેદ શેખ, વડોદરા, આસીફ સૈયદ, દાહોદ, ખલીલભાઈ વાળી, તોરંખાન પઠાણ ખેડા, તાહીરઅલી સૈયદ વડોદરા જિલ્લા સહિતના આગેવાનો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચર્ચા વિચારણા કરી હતી.