National

નોટબંધી અંગે કૃષિ મંત્રાલયનો યુ-ટર્ન : પહેલાં ખેડૂતો પર ખરાબ અસર પડી હોવાનું જણાવ્યું, હવે ભૂલ થઈ તેમ કહ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ખેતી અને ખેડૂતો પર નોટબંધીની અસર અંગે કૃષિ મંત્રાલયે અગાઉ જાહેર કરેલા અભિપ્રાયને હવે બદલી નાંખ્યા છે. હવે કૃષિ મંત્રાલયે કહ્યું છે કે નોટબંધીની ખેતી સેક્ટર પર સારી અસર પડી. તેમજ બીજનું વેચાણ વધ્યું. ખાતરનું વેચાણ પણ વધ્યું. ર૦૧૬માં રવિનું ઉત્પાદન પણ વધ્યું. સૂત્રોના કહેવા અનુસાર મંત્રાલયે સ્થાઈ સમિતિને સુચિત કર્યું છે કે ડેટા તૈયાર કરવામાં ભૂલના કારણે પહેલી યાદીમાં ગરબડ થઈ હતી. ઉલ્લેખનીય છે કે પહેલી જાહેરાતમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે, નોટબંધીના કારણે ખેતી સેક્ટરમાં રોકડની કમીથી ઘણાં ખેડૂતો બીજ અને ખાતર ખરીદી શક્યા નહીં. કૃષિ મંત્રાલયે નાણાકીય સમિતિની સામે એ વાત માની હતી કે નોટબંધીની ખેડૂતો પર ખરાબ અસર પડી અને ગ્રામીણ ભારતમાં હતાશાની હાલત પેદા થઈ. રવિ પાક ઓછો થયો. હવે કૃષિ મંત્રાલયે યુ-ટર્ન લઈ નવી જાહેરાત કરી નોટબંધીથી કૃષિ ક્ષેત્રે ફાયદો થયો હોવાનું જણાવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી નોટબંધીથી ખેડૂતોની બરબાદી થઈ હોવાનું જણાવ્યું હતું. હવે કૃષિ મંત્રાલય પણ કહે છે. ત્યારબાદ કૃષિ મંત્રી રાધામોહનસિંહે આ ખબરોને રદિયો આપી કહ્યું કે, નોટબંધીથી ખેડૂતોને નુકસાન થયું હોવાના અહેવાલો ખોટા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.