કોલકાતા, તા.૧૧
દેશભરમાં ક્રિકેટ માટેનો ફેનનો ઉત્સાહ ખૂબ જ વધારે છે. જ્યારે મોટા અને ઐતિહાસિક મુકાબલા થાય છે, ત્યારે ઘણા ચાહકો બધું છોડી દે છે અને મેચ કરવા માટે જ ફોકસ કરે છે. જો કે જીત-નુકશાન ચાલુ રહે છે પરંતુ કેટલીકવાર કેટલાક ચાહકો ભારતની હારને સહન નથી કરી શકતા અને આઘાતમાં પોતાનું જીવન ગુમાવે છે. વર્લ્ડ કપ ૨૦૧૯ના સેમિ-ફાઇનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આઉટ થયો, ત્યારે તેના એક ફેન આઘાતમાં આવીને જીવ ગુમાવી બેઠો. કોલકાતા સ્થિત એક સાઇકલ દુકાનદાર શ્રીકાંત મૈતી દુકાનમાં તેમના મોબાઇલ પર મેચ જોતા હતા. છેલ્લા ૧૧ બોલમાં ભારતને ૨૫ રનની જરૂર હતી. ૪૯મી ઓવરની બીજી બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ત્રીજા બોલ પર, ધોની પહેલો રન ખૂબ જ ઝડપથી લીધો અને બીજો રન લેવા માટે પાછો ફર્યો ત્યારે માર્ટિન ગુપ્ટીલનો સીધો થ્રો વિકેટ પર વાગ્યો અને ધોની આઉટ થયો ધોનીના આઉટ થવાની સાથે જ ટીમની આશા અને લાખો ભારતીય ચાહકોના સપનાને તૂટ્યા. શ્રીકાંત આ આઘાત સહન કરી શક્યો નહીં અને ધોની આઉટ થયા પછી તરત જ, તે દુકાનમાં મૃત્યુ પામ્યો. ધોનીની વિકેટથી આટલો આઘાત લાગ્યો કે તેનો શ્વાસ બંધ થઈ ગયો.
ધોની રનઆઉટ થતાં કોલકાતામાં પ્રશંસકનું હાર્ટ એટેકથી મોત

Recent Comments