International

ઈમરાનખાને અફઘાન અને બાંગ્લાદેશી શરણાર્થીઓને નાગરિકતા આપવાનું વચન આપ્યું

(એજન્સી)
તા.૧૮
પાકિસ્તાન સરકારે દેશમાં વસતા બાંગ્લાદેશીઓને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાનખાને સરકારના આ નિર્ણયની ઘોષણા કરી હતી. પાકિસ્તાનની એક ન્યૂઝ વેબસાઈટ પ્રમાણે પ્રધાનમંત્રી બન્યા પછી ઈમરાનખાને સોમવારે કરાચીની મુલાકાત લીધી હતી અને ત્યાં થયેલી જાહેરસભામાં તેમણે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનની નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું. ઈમરાનખાને કહ્યું હતું કે, જે બાંગ્લાદેશી શરણાર્થીનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. તેમને નાગરિકતા આપવામાં આવશે. ઈમરાનખાને બાંગ્લાદેશ ઉપરાંત અફઘાન શરણાર્થીઓને પણ પાકિસ્તાનની નાગરિકતા આપવાની ઘોષણા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, આ શરણાર્થીઓને પાકિસ્તાનના ઓળખપત્રો અને પાસપોર્ટ આપવામાં આવશે. ઈમરાનખાને કહ્યું હતું કે, આ શરણાર્થીઓ છેલ્લા ૪૦ વર્ષથી પાકિસ્તાનમાં વસવાટ કરે છે. પરંતુ તેઓને કે તેમના બાળકોને પાકિસ્તાનની નાગરિકતાથી વંચિત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો પ્રમાણે ત્યાં લગભગ ર૦ લાખ જેટલા અફઘાની અને બાંગ્લાદેશી શરણાર્થીઓ રહે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.