National

જય શાહ સામે “ધ વાયર”ની ખબરનો ભાજપે આપેલો પ્રતિભાવ નૈતિકતાનું મોટું પતન દર્શાવે છે : યશવંત સિંહા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ કહ્યું છે કે પક્ષ પ્રમુખ અમિત શાહ અને તેમના પુત્રના ધંધાદારી ગોટાળાની ધ વાયરમાં આપેલી ખબરનો જે રીતે ભાજપે પ્રતિભાવ આપ્યો તેનાથી પક્ષે નૈતિકતા ગુમાવી છે. એનડીટીવી સાથે એક મુલાકાતમાં સિંહાએ કહ્યું કે જય શાહના બચાવ માટે ભાજપે વરિષ્ઠ મંત્રીઓ કે સરકારી વકીલોની નિમણૂક કરવી ન જોઈએ. જે ખાનગી ધંધાદારી છે. જેના કારણે ભાજપે અને સરકારે નૈતિકતા ગુમાવી છે. સિંહાએ કહ્યું કે જય શાહ અંગે જે ખબર આવી છે તે અંગે હું કંઈ ટિપ્પણી કરવા માગતો નથી કારણ કે આ કેસ તપાસનો વિષય છે. પરંતુ જે રીતે આ કેસમાં કેન્દ્રના મંત્રીઓ તૂટી પડ્યા તે યોગ્ય નથી. તેઓ જય શાહની ફર્મના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. તેવી જ રીતે યુપીના એક મંત્રી બચાવમાં કૂદી પડ્યા. આ અવગણના પાત્ર છે. સિંહાએ પ્રશ્ન કર્યો હતો કે જય શાહના કેસમાં સોલિસીટર જનરલને પ્રતિનીધિ બનવા કેવી રીતે મંજૂરી અપાઈ ? શું આ વિવાદથી પક્ષ અને વડાપ્રધાનની છાપ ખરાબ થઈ છે ? સિંહાએ કહ્યું કે ઉચ્ચ હોદ્દા પર બેઠ્યા બાદ આ રીતે દખલગીરી એ સરકારની નૈતિકતાનું પતન કર્યું છે. મીડિયા લોકશાહીનું મહત્ત્વનું અંગ છે તેની સામે ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો કરી તેને દબાવવાની કોશિશ યોગ્ય નથી. વાયરના રિપોર્ટમાં જય શાહને અપાયેલ લોન તરફ ધ્યાન દોરાયું હતું. ગયા મહિને સિંહાએ ભારતીય અર્થતંત્રને જે રીતે મોદી સરકાર ચલાવી રહી છે તેની સામે ચેતવણી ઉચ્ચારી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.