National

દૂધ અને શાકભાજી વગર કોઈનું મૃત્યુ નહીં થાય પરંતુ અમે ખેતી બંધ કરીશું તો શું થશે ? રાષ્ટ્રીય મઝદૂર કિસાન સંઘ નેતા ‘કક્કાજી’

(એજન્સી) તા.૧
રાષ્ટ્રીય મઝદૂર કિસાન સંઘના પ્રમુખ શિવકુમાર શર્મા ‘કક્કાજી’એ શુક્રવારથી શરૂ થયેલી ખેડૂતોની ૧૦ દિવસીય હડતાળ બદલ સામાન્ય જનતાની માફી માંગી હતી અને કહ્યું હતું કે, જો ખેડૂતો પાક ઉગાડવાનું બંધ કરી દે તો પરિસ્થિતિની ગંભીરતા શું હશે તે વિશે વિચાર કરો. પત્રકારો સાથે વાતચીત કરતાં કક્કાજીએ કહ્યું હતું કે, હડતાળથી લોકોને પડતી તકલીફ કરતાં ૪૬,૦૦૦ ખેડૂતોના મૃત્યુ વધારે ગંભીર બાબત છે. તેમણે કહ્યું હતું કે, દૂધ અને શાકભાજી વગર લોકો મરી નહીં જાય પરંતુ એ પરિસ્થિતિની ગંભીરતા વિશે વિચારો જ્યારે ખેડૂતો પાક ઉગાડવાનું બંધ કરી દેશે. ૬૭ વર્ષીય કક્કાજીએ કહ્યું કે આ પહેલાં ૧૧૦ ખેડૂત સંગઠનોએ અમારા આંદોલનને ટેકો આપ્યો હતો પરંતુ હવે ભાજપ સમર્થિત એક-બે સંગઠનોને છોડીને લગભગ બધા જ ખેડૂત સંગઠનો અમારી સામે છે. તેમણે કહ્યું હતું કે આ વખતે અમે ગાંવ બંધ વિરોધ ચાલુ કર્યો છે. જો આ આંદોલન દરમિયાન કશું અનિચ્છનીય થયું તો તેની જવાબદારી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની છે. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ૧પ વર્ષના ભાજપ શાસનમાં ખેડૂતોનું જે રૂા.૧ લાખનું દેવું હતું તે રૂા.૧પ લાખ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે જો અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો ૧૧ જૂને યોજાનારી રાષ્ટ્રીય મઝદૂર કિસાન સંઘની બેઠકમાં આંદોલનની ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.