ભાવનગર, તા. ૭
ભાવનગર નજીકના અલંગશીપ બ્રેકીંગ યાર્ડ ખાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શ્રમિકની હત્યા થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ખૂનના આ બનાવની વિગતો મુજબ ભાવનગરના વિશ્વપ્રસિદ્ધ અલંગશીપ બ્રેકીંગ યાર્ડ ખાતે પ્લોટ નં.ર૪ની સામે આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતાં પરપ્રાંતીય શ્રમિક વિનોદભાઈ રામચંદ્ર યાદવ ઉ.વ. ૪૯ના માથાના જમણા ભાગે તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી અજાણ્યા શખ્સો કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા.
આજે સવારે બનેલા આ બનાવથી અલંગમાં મજૂરોમાં ચકચાર જાગી હતી. બનાવની જાણ થતાં જ અલંગ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. તળાજીયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.