દાહોદ, તા.પ
ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી યોજનાઓની ચકાસણી કરવા એક ટીમ આવેલ છે. જેમાં રાજસ્થાનની ભારતી વિકાસ સંસ્થાનના મોનીટર મનજ દિક્ષીત વ ડો.કૈલાસ મોઢે વગેરેનો સમાવેશ થાય છે. તેમાં એન.આર.એલ.એમ. સ્વચ્છતા મિશન, ગ્રામીણ આવાસ, કૃષિ સિંચાઈ, સાંસદ, આદર્શ ગ્રામ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ, સામાજિક સુરક્ષા, પ્રધાનમંત્રી ગ્રામ સડક, ગ્રામીણ કૌશલ વિકાસમાં મંત્રાલય દ્વારા આપેલ દિશા-નિર્દેશ અનુસાર ક્રિયાન્વયન લાભાર્થીઓની પસંદગીમાં પારદર્શિતા, સૃજિત પરિસંપત્તિઓની સામુદાયિક ઉપયોગિતા અને ગ્રામીણોના મંત્રાલયની આ યોજનાઓ હેતુ દૃષ્ટિકોણ અને સારા સુજાવોને લઈ જિલ્લાના ત્રણ તલાકમાં ૧૦ ગ્રામપંચાયતમાં હાલ ચકાસણીનું કાર્ય થઈ રહેલ છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય ચકાસણીકર્તાઓએ જણાવ્યું છે કે વધુમાં વધુ ગ્રામ્યજનોથી પ્રત્યક્ષ જાણકારી લેવામાં આવશે. આ કાર્ય હેતુ જિલ્લાના કલેક્ટર રણજીતકુમાર અને ડી.આર.ડી.એના નિયામક એન.વી.ઉપાધ્યાય દ્વારા યોજનાઓથી જોડાયેલ જિલ્લાના અધિકારી અને કર્મચારીઓને પૂર્ણ રૂપથી ચકાસણીનો કાર્યને સફળ બનાવવા માટે નિર્દેશ કરેલ છે. એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.વી.ઉપાધ્યાયએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.