(એજન્સી) જલંધર, તા.૧પ
વેટીકન ખાતે કેસ પહોંચતા કેરળના રેપ કેસના આરોપી જલંધરના બીશપ ફ્રાંકો મુલક્કલને તેમના હોદ્દા પરથી હટાવી દેવાયા છે. વેટીકન ચર્ચના ભારતના પ્રતિનિધિ હાલમાં વેટીકન ખાતે પહોંચ્યા છે. તેઓ આ મુદ્દે ચર્ચા કરશે. દરમિયાન બીશપ ફ્રાંકો મુલક્કલે એક પત્ર લખી તેમને ટેકો આપવા અને તેમના માટે પ્રાર્થના કરવા બદલ બધાનો આભાર માન્યો છે. પોલીસ દ્વારા મને પૂછપરછ માટે બોલાવાયો છે. હું ભગવાન પર ભરોસો મૂકું છું. આરોપોની તપાસ કરનાર ટીમના તથ્યોની રાહ જોવું છું. જલંધર પોલીસે બીશપ ફ્રેન્કોને ૧૯ સપ્ટેમ્બર પહેલાં કેરળ પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે. જલંધરના રેપના આરોપી બીશપ સામે રોમન કેથોલિક ચર્ચની સર્વોચ્ચ કક્ષાની વેટીકનમાં આવેલ સંસ્થા દ્વારા તપાસ માટે એક સભ્યની તપાસ પેનલ બનાવાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, કેરળની ખ્રિસ્તી નન સાધ્વીના રેપના આરોપના મુદ્દે ભારતીય ચર્ચના પ્રતિનિધિએ વેટીકન સિટીમાં ચર્ચા માટે પહોંચ્યા છે. નન દ્વારા ભારતમાં પોપના પ્રતિનિધિને લખેલા એક પત્રમાં બીશપ મુલક્કલ દ્વારા રેપના આરોપ બાદ આ પ્રગતિ થઈ છે. અમેરિકામાં વર્જીનિયા ખાતે આવેલ ચર્ચના પાદરી માઈકલ બ્રાંડ ફીલ્ડ પર આવો આરોપ લાગતા તેમને પોપ દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો હતો. દરમિયાન રેપના આરોપી બીશપ મુલક્કલને કેરળ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે. દરમિયાન જલંધર ચર્ચમાં હવે બીશપ મુલક્કલના સ્થાને મેથ્યુ કોકનડેમ વહીવટ સંભાળશે. દરમિયાન સાધ્વીએ પ૪ વર્ષના બીશપ સામે ર૦૧૪થી ૧૬ દરમિયાન વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો.