નવી દિલ્હી, તા.૨૦
બીસીસીઆઈ લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં પૂર્વ કેપ્ટન અને ત્રણેય ફરિયાદીને લેખિત દલીલ આપવા કહ્યું છે. બંગાળના ત્રણ ક્રિકેટ પ્રશંસકો ભાસ્વતી શાંતુઆ, અભિજીત મુખર્જી અને રંજીત સીલે આરોપ લગાવ્યો હતો કે, ગાંગુલીનું બંગાળ ક્રિકેટ સંઘ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સલાહકારની ભૂમિકા સીધી રીતે હિતોના ટકરાવનો મામલો છે.
લોકપાલે લગભગ સાડા ત્રણ કલાક સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બિશ્વનાથ ચેટર્જી અને ફરિયાદરત્તા સંજીત સીલ સિવાય ગાંગુલીની પણ દલીલો સાંભળી હતી. ન્યાયમૂર્તિ જૈને બેઠક બાદ કહ્યું, મેં બંને પક્ષો અને બીસીસીઆઈની દલીલોને સાંભળી અને ઝડપથી મારો આદેશ પસાર કરીશ. પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે, બંને પક્ષો હવે નિર્ણય સંભળાવ્યા પહેલા લેખિત દલીલ આપી શકે છે.