(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
જમ્મુ કાશ્મીરની ચાર દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સાથે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ચર્ચાવિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ રાજનાથ સાથે ગઠબંધન એજન્ડાની ચર્ચા કરી અને દરેક વ્યક્તિ સુધી પહોંચવાની રાજનાથને અપીલ કરી. રાજનાથ શ્રીનગર આવી પહોચ્યાં હતા. જ્યાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીને મળ્યાં હતા. રાજનાથે કહ્યું કે હું ખુલ્લા મને રાજ્યની મુલાકાતે આવ્યો છું અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધી શકે તેવા તમામ હિતધારકો સાથે મુલાકાત કરવા ઈચ્છુક છું. રાજનાથે શ્રીનગરના નહેરૂ ગેસ્ટ હાઉસમાં મુફતી સાથે મુલાકાત કરી હતી. રાજનાથ સંખ્યાબંધ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે. રાજનાથ કાશ્મીર મુદ્દે અલગ અલગ હિતધારકો સાથે મુલાકાત કરી હતી. રાજનાથ જે ઠેકાણે રોકાયા હતા તેની આસપાસ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજ્યના સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે રાજનાથ જે ઠેકાણે જવાના હતા તેવા તમામ સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કાશ્મીર જતાં પહેલા રાજનાથે ટ્વીટર પર લખ્યું કે હું ખુલ્લા મને કાશ્મીર જઈ રહ્યો છું. અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધી શકે તેવા તમામ હિતધારકો સાથે મુલાકાત કરવા ઈચ્છુક છું. શ્રીનગર એરપોર્ટ ખાતે રાજ્યના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહ અને રાજ્ય સરકારના અધિકારીઓએ રાજનાથનું સ્વાગત કર્યું હતું. રાજનાથે વિવિધ પ્રતિનિધિમંડળો સાથે પણ વાતચીત કરી હતી.