National

પશ્ચિમ બંગાળ : જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન મંદિર નજીક નાસભાગમાં ૪નાં મોત : સંખ્યાબંધ ઘાયલ

(એજન્સી) તા.ર૩
શુક્રવારે પશ્ચિમ બંગાળના ઉત્તર ર૪ પરાગણા જિલ્લામાં આવેલા કાચુઆ વિસ્તારના લોકનાથ મંદિરમાં નાસભાગ મચી જતા ઓછામાં ઓછા ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ર૦થી વધુ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે ભારે વરસાદના કારણે મંદિરમાં કામચલાઉ રીતે કરવામાં આવેલુ બાંધકામ પડી જતાં નાસભાગ સર્જાઈ હતી. બેનરજીએ કહ્યું હતું કે મંદિર તરફ જઈ રહેલા માર્ગ પર ઉભા કરવામાં આવેલા વાંસના માળખા નીચે લોકોએ આશ્રય લીધો હતો. ત્યારે વરસાદના કારણે આ માળખુ પડી ગયું હતું. આ દરમ્યાન અંધાધૂંધી સર્જાતા લોકોએ સાંકડી જગ્યામાંથી નીકળવા ધક્કામુક્કી કરી હતી. મમતા બેનરજીએ કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જઈ ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના પરિવારને રૂા.પ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ લોકોને રૂા.૧ લાખની સહાય તેમજ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂા.પ૦,૦૦૦ની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.