અમદાવાદ, તા.ર૦
શહેરના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી છે. સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ પોલીસે બંને સંચાલિકાની ધરપકડ કરી છે. સગીરા સાથે દુર્વ્યવાહ મામલે આશ્રમની સંચાલિકા પ્રિયાતત્વા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તામિલનાડુનાં જનાર્દન શર્માની કથિત ગૂમ દીકરી નિત્યાનંદિતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમાં ગુજરાત પોલીસને અનેક સવાલો કર્યાં હતાં.
સોશિયલ મીડિયામાં જાહેર કરેલા વીડિયોમાં નિત્યાનંદિતાએ જણાવ્યું કે, ‘મેં પહેલા પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે, હવે હું કે મારી બહેન નિત્યાનંદ આશ્રમ સાથે સંકળાયેલા નથી. મેં જાહેરમાં પણ આ કહ્યું છે આ સાથે પોલીસને પણ લેખિતમાં આપ્યું છે. તે છતાંપણ આજે સવારે અમદાવાદ પોલીસ અમારા કેમ્પસમાં આવી ગયા અને આશ્રમનાં સંચાલક મા નિત્યાપ્રાણપ્રિયા અને મા નિત્યાતત્વપ્રિયાની ધરપકડ કરીને લઇ ગયા. તેમની ધરપકડ કરવી એ મારા કેસથી એકદમ અલગ જ વાત છે. તે ત્યાંની સંચાલિકા છે અને આ મારો પારાવારિક પ્રશ્ન છે. તેમણે બંન્નેની ધરપકડ તો કરી પરંતુ તેની સાથે આશ્રમની અન્ય સેવિકાઓને પણ પરેશાન કરી રહ્યાં છે. તે સારી વાત નથી.’
નિત્યાનંદિતાએ આગળ જણાવતા કહ્યું કે, ‘મેં અને મારી બહેને પહેલા જ નક્કી કર્યું હતું કે અમે આ સંસ્થાને છોડીને પછી અમારો પારિવારિક પ્રશ્ન ઉકેલીશું. તે બાદ જ અમે ફરીથી સંસ્થા સાથે જોડાઇશું. તો પણ, પોલીસે બંન્ને સેવિકાઓની ધરપકડ કરી લીધી છે. મારા માત્ર પિતાએ જ આખો આ પ્લાન ઘડ્યો છે.પહેલી તારીખે પિતા જનાર્દનનો ફોન આવ્યો હતો ત્યારે તેમણે મારી સાથે ઘણી જ નમ્રતાથી વાત કરી હતી. જે તેમના ગુણ વિરુદ્ધ છે. મને નથી ખબર તેના મગજમાં શું છે પરંતુ તેણે મને કહ્યું હતું અને ધમકાવી પણ હતી કે, હું પોક્સો એક્ટ હેઠળ સ્વામીજી વિરુદ્ઘ ખોટો દુષ્કર્મનો કેસ કરૂં.
મારા પિતા નિત્યાંનંદ ઉપર ખોટો કેસ કરવા મને દબાણ કરતા હતા

Recent Comments