National

‘માતા વિદેશી’ હોવાથી રાહુલ ગાંધી PM ના બની શકે તેવું કહેનારા નેતાને માયાવતીએ હાંકી કાઢ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
બસપાના સુપ્રીમો માયાવતીએ પાર્ટીના સીનિયર નેતા જયપ્રકાશ સિંહને તેમની ટીપ્પણી બદલ હાંકી કાઢ્યા છે જેમાં તેમણે એક દિવસ પહેલા જ એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, ભારતની રાજનીતિમાં વિદેશી લોહી ધરાવતા રાહુલ ગાંધી સફળ નહીં થાય અને દેશનું નેતૃત્વ ન કરી શકે. માયાવતીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હું અહીં એ જણાવવા માટે આવી છું કે, જયપ્રકાશસિંહે બીએસપીની વિચારધારા વિરૂદ્ધ નિવેદન આપ્યું છે અને વિરોધી પક્ષોની નેતાગીરી વિરૂદ્ધ અંગત ટીપ્પણી કરી છે. આ તેમનો અંગત મત છે. તેથી તેમને તેમના પદ પરથી તાત્કાલિક અસરથી કાઢી મુકાયા છે.
માયાવતી દ્વારા ભરવામાં આવેલા પગલાં પહેલા જયપ્રકાશ સિંહે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના માતની જેમ ઉછર્યા છે પણ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ ઉછર્યા નથી. જો તેઓ પોતાના પિતા રાજીવ ગાંધીનીજેમ ઉછર્યા હોત તો એક વખત તેઓ રાજનીતિમાં સફળ થયા હોત. પરંતુ તેઓ પોતાની માતાની જેમ ઉછર્યા છે જેઓ વિદેશી છે. આ સાથે હું ચોક્કસ પણે કહેવા માગું છું કે, રાહુલ ગાંધી ભારતીય રાજકારણમાં સફળ નહીં થાય અને ભારતનું નેતૃત્વ કરી શકશે નહીં. દરમિયાન બીએસપી પણ આગામી લોકસભા ચૂંટણીઓ માટે માયાવતીને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજ્કટ કરવા માગે છે. જયપ્રકાશ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતનો વડાપ્રધાન જન્મના આધારે નક્કી ના થઇ શકે પણ બેલેટથી નક્કી થાય છે. આ ટીપ્પણી તેવા સમયે આવી છે જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા વિપક્ષ ભાજપ વિરોધી ગઠબંધન રચવાના પ્રયાસ કરી રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.