નવી દિલ્હીઃ સોમવારે જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના આતંકી સંદીપ શર્માની ધરપકડ કરવામા આવી હતી.આ ધરપકડ પર કોંગ્રેસ પક્ષના વરીષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટિ્વટ કરતા કહયુ છે કે,આ મુઝ્ઝફરનગરનો સંદિપ શર્મા જે લશ્કરે તોયબા માટે કામ કરતો હતો.તે કોણ છે.શું મોદી ભક્ત અમારા જ્ઞાનમાં વધારો કરવા મદદ કરશે. નોંધનીય છે કે,જમ્મુ-કાશ્મીર પોલીસે લશ્કરે તોયબાના એક મોડ્યુલનો પર્દાફાશ કરતાં બે આતંકીની ધરપકડ કરી હતી.જેમાં એક શખ્શ સંદિપ શર્મા હતો.જે ઉત્તરપ્રદેશના મુઝફરનગરનો વતની છે.સંદિપ આતંકી સંગઠનનો સક્રીય સભ્ય હતો.તેણે પાંચ પોલીસકર્મીની હત્યા સહિત એટીએમ લૂંટનો ગુનો કબુલ્યો હતો.હાલમાં જ આતંકી હુમલામાં માર્યા ગયેલા ફિરોજ ડારની હત્યામાં પણ સંદિપ સામેલ હતો.તે ખીણમાં નામ બદલીને રહેતો હતો.