National

મોદી નિષ્ફળ રહ્યાં, હવે સમય છે નવા વડાપ્રધાનનો : અખિલેશ

(એજન્સી) આગ્રા, તા.૧૯
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટીને વિભાજનકારી ગણાવી છે. અખિલેશે કહ્યું કે, તેણે (ભાજપે) ચૂંટણી આવતા પહેલાં દેશને જાતિ અને ધર્મના નામે વહેંચવાનું શરૂ કરી દીધું છે, અને જો પરિસ્થિતિ વણસશે તો તેઓ તેના માટે વિપક્ષ પર દોષારોપણ કરશે. અખિલેશે મીડિયા કર્મીઓને જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંપૂર્ણપણે ભારતીય છે અને ભાજપ તેની વિભાજનકારી વિચારસરણી સાથે ભારતીય નથી. નરેન્દ્ર મોદી એક નેતા તરીકે નિષ્ફળ રહ્યા છે અને હવે દેશ એક નવા વડાપ્રધાનને ઈચ્છી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, તેમનો સમાજવાદી પક્ષ દેશને નવા વડાપ્રધાન પૂરા પાડવાના પડકારને ઝીલવા તૈયાર છે. ર૦૧૯ની ચૂંટણી બાદ ગઠબંધન નક્કી કરશે કે, દેશના વડાપ્રધાન કોણ બનશે. કૈરાના, ફુલપુર, ગોરખપુરની ચૂંટણીઓએ ભાજપ અને મોદી વિરૂદ્ધના લોકોના મૂડ દર્શાવતા ઉદાહરણો છે. આવનારા મહિનાઓમાં સપા-બસપાનું ગઠબંધન મજબૂત થશે.
આ વર્ષની શરૂઆતમાં, ભાજપને હરાવવાના ઈરાદાથી ત્રણ પેટાચૂંટણીઓમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. સપા તો પહેલે થી કોંગ્રેસ સાથે જોડાયેલી છે અને હવે બસપા પણ આ ગઠબંધનમાં જોડાઈ હોવાથી ભાજપ હવે આ ગઠબંધનને તોડવાના દરેક પ્રયત્નો કરશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    MuslimNational

    ઉત્તરપ્રદેશના બદાયુંમાં ૨ સગીરોની હત્યાના જઘન્ય કિસ્સાનેસાંપ્રદાયિક રંગ આપવામાં આવ્યો : મુસ્લિમોના વિરોધનું આહ્‌વાન

    રાજ્ય પોલીસ અને મૃતકના પરિવારજનો…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.