Gujarat

નર્મદા બંધની વિશેષતા

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૬
વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદીએ આજે નર્મદા નદી ઉપર બનેલા સરદાર સરોવર બંધને દેશને સમર્પિત કર્યો હતો. દેશના આ સૌથી ઉંચા બંધથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સીધો ફાયદો થશે. આ દુનિયાના સૌથી મોટા બીજા બંધ તરીકે છે. ૬૫૦૦૦ કરોડ રૂપિયાના બંધ સાથે આ બંધને બનવામાં ૫૬ વર્ષનો સમય લાગ્યો છે. આ બંધની વિશેષતા નીચે મુજબ છે.
૫મી એપ્રિલ ૧૯૬૧ના દિવસે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આધારશીલા મૂકી હતી ૫૬ વર્ષ આ બંધના નિર્માણમાં લાગી ગયા છે ૧૩૮.૬૮ મીટર ઉંચાઈ આ બંધ ધરાવે છે બંધ દેશમાં સૌથી ઉંચો બંધ છે બંધમાં ૩૦ દરવાજા રહેલા છે અને દરેક દરવાજાનું વજન લગભગ ૪૫૦ ટનની આસપાસ છે આ બંધમાં ૪.૭૩ મિલિયન ક્યુબિક પાણી સ્ટોર કરવાની ક્ષમતા રહેલી છે આ બંધથી ૬૦૦૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે બંધના નિર્માણમાં ૮૬.૨૦ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ કરાયો. ૧૫ જિલ્લાના ૩૧૩૭ ગામોના ૧૮.૪૫ લાખ હેક્ટર ભૂમિને સિંચાઈની સુવિધા. વિજળીનો સૌથી વધારે હિસ્સો ૫૭ ટકા મધ્યપ્રદેશને. મહારાષ્ટ્રને વિજળીનો ૨૭ ટકા અને ગુજરાતને ૧૬ ટકા હિસ્સો. બીજી બાજુ રાજસ્થાનને માત્ર પાણી મળશે ૧.૨ કિલોમીટર લાંબો બંધ ૧૬૩ મીટર ઉંડો છે

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.