રાજપીપળા, તા.૧૦
ખુલ્લામાં શૌચ મુક્ત નર્મદા જિલ્લાને ભારતમાં ત્રીજું અને ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ત્યારે આ જિલ્લાને યુનિસેફ દ્વારા પણ વધુ એક યશ કલગી પ્રાપ્ત થાય તેવા સમાચાર મળ્યા છે, આજે યુનિસેફના બાંગ્લાદેશના પ્રતિનિધિ યુનિસેફ ચીફ ઓફ ઇન્ડિયા ડો.યાસ્મિન અલી અને તેમની ટીમે ઓડીએફને સ્નુલક્ષીને નર્મદા જિલ્લાના અંતરિયાળ અને ખુલ્લામાં શૌચમુક્ત ગામોની મુલાકાત લીધી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે શૌચાલયોનું જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત વખતે આદિવાસીઓ દ્વારા થયેલા સ્વાગતથી તેઓ એટલા પ્રભાવિત થયા કે ઢોલ નગારાના તાલ સાથે તેઓ જાતે પણ આદિવાસી નૃત્ય કરવા લાગી ગયા હતા. વળી ગામડાઓમાં રહેતા આદિવાસીઓના નિવાસસ્થાને શૌચાલયોની મુલાકાત લઇ જાત માહિતી પણ મેળવી હતી. ગામમાં ચાલતા સખીમંડળની બહેનો દ્વારા ચલાવતા આ ઓડીએફ અભિયાન દ્વારા સવારમાં પ્રભાતફેરી અને થાળીવેલણ વગાડીને લોકોને ખુલ્લામાં શૌચ ન કરવા જાગૃતિ કેવીરીતે અપાઈ તેની પણ માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઓડીએફ અંગેની સિદ્ધિ પ્રાપ્ત થઇ તે અંગેનું એક પુસ્તકનું વિમોચન પણ યુનિસેફના પ્રતિનિધિ ડોક્ટર યાસ્મિન અલી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમની સાથે જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડો.રણજીતકુમાર સિહ, ડીઆર.ડીએ ડાયરેકટર અને આંકડા અધિકારી આર.આર.ભાભોર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.સી વેકરિયા, સહિત યુનિસેફ ગુજરાતના હેડ સહિતની ટીમો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓડીએફ તરીકે નર્મદા જિલ્લા ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે, ત્યારે યુનિસેફના બાંગ્લાદેશના પ્રતિનિધિ અને ભારતના ચિફ એવા ડો યાસ્મીન અલીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ જિલ્લામાં નાની ઉંમરના બાળલગ્નો,કુપોષિત બાળકો, બાળકોનુ સ્વાસ્થ અને શિક્ષણ ચિંતાનો વિષય છે.તો આ દિશા મા અમે આગળ નર્મદા જીલ્લામા કામ કરીશુ.નર્મદા જિલ્લાની મહિલા મંડળો જાગ્રુત થઈ સ્વચ્છ્તાને લક્ષ બનાવ્યુ છે એ જોઇ ઘણી પ્રભાવિત થઈ છું. નર્મદા જિલ્લા વિકાસ અધિકારી રણજિતસિંહે જણાવ્યું હતું કે ઓડીએફ માટે જિલ્લાને ઘણા અવૉર્ડ મળ્યા છે, ત્યારે યુનિસેફ દ્વારા પણ અમને એક વધુ અવૉર્ડથી નવાજવામાં આવે એવી શક્યતાઓ હાલ લાગી રહી છે, નર્મદામાં ખુલ્લામા શૌચના કરવા માટે ઘણા પ્રયાસો હાથ ધરાયા છે અને ગામે ગામ જાગ્રુતિનુ આભિયાન ચાલુ છે, જેમાં ગામે ગામ લોકોએ સાથ આપ્યો એમ તમામ લોકો સાથ આપે.