(એજન્સી) કાઠમાંડૂ,તા.૧૮
નેપાળમાં ભારતના નવા નકશાને લઇ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેપાળ, ભારત અને તિબેટની વચ્ચે ટ્રાઇજંકશનમાં આવેલ કાલાપાણી ક્ષેત્ર નેપાળનો હિસ્સો છે અને ભારતે ત્યાંથી પોતાની સેના તાત્કાલિક હટાવી લેવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ દેશનો નવો નકશો રજૂ કર્યો હતો ત્યારબાદ નેપાળે કાળાપાણી વિસ્તારને ઉત્તરાખંડમાં દેખાડતા નારાજગી વ્યક્ત કરી હતી.
નેપાળની આપત્તિના જવાબમાં ભારતે કહ્યું હતું કે નકશો સંપૂર્ણપણે ભારતની સંપ્રભુતાને દેખાડે છે અને નેપાળની સાથે સરહદમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી.
નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યુથ વિંગ નેપાળ યુવા સંગમની એક બેઠકને સંબોધિત કરતાં ઓલીએ કહ્યું કે અમે અમારા ભૂ-ભાગની એક ઇંચ પર પણ કોઇ દેશને કબ્જો કરવા દઇશું નહીં. ભારતે તેને ખાલી કરવાનું પડશે. ઓલીએ આગળ કહ્યું કે અમારા ભૂ-ભાગથી ભારતીય સેનાને હટાવ્યા બાદ જ અમે કોઇ વાર્તામાં સામેલ થઇશું.
નેપાલી પીએમે કહ્યું કે તેમની સરકાર પોતાના દેશની સરહદોની સુરક્ષા કરવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. દેશના સુરક્ષાબળ પોતાની જમીન પર પોતાનો અધિકાર પાછો મેળવવા માટે એકજૂથ છે. એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે ભારતના નવા નકશાના વિરૂદ્ધ થઇ રહેલ પ્રદર્શન પ્રોપેગેન્ડાનો હિસ્સો છે.
કાલાપાણી ક્ષેત્ર નેપાળનો હિસ્સો,ભારત પોતાની સેના હટાવેઃ નેપાળ પીએમ

Recent Comments