International

બ્રિટનના સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે નીરવ મોદીએ સાક્ષીને લાંચની લાલચ અને મોતની ધમકી આપી હતી

(એજન્સી) લંડન, તા.૩૦
પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ નિરવ મોદીએ ધરપકડ ટાળવા સાક્ષીને ર૦ લાખની લાંચની ઓફર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ લંડનની કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી. નિરવ મોદીને જામીન અરજીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તે દરમ્યાન આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
સરકારી વકીલ ટોબીએ કહ્યું કે નિરવ મોદીએ આશિષ લાદ નામના એક સાક્ષીને બોલાવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નિરવ મોદીએ સાક્ષીને કોર્ટમાં હાજર નહીં રહેવા જણાવ્યું હતું. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે જો નિરવ મોદીને જામીન અપાશે તો તે ભાગી જશે. જામીન આપવામાં જોખમ છે. નિરવ મોદીની સુચનાથી પીએમબી કાંડ સાથેના ટેલિફોન રેકોર્ડનો પણ નાશ કરાયો હતો. નિરવ મોદીના વકીલે કોર્ટને જણાવ્યું કે તેના અસીલની ભાગી જવાની શકયતા નથી. તેણે લંડનમાં ફલેટ રાખ્યા છે અને બેંક એકાઉન્ટ ખોલવા પ્રયાસ ચાલુ છે. આ કેસની સુનાવણી મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથનોટની કોર્ટમાં ચાલી રહ્યા છે. નિરવ મોદીના વકીલે ક્લેર મોન્ટગોમરી પણ વિજય માલ્યાના વકીલ હતા. જિલ્લા જજ મૈરી મૈલોને નિરવ મોદીની જામીન અરજી રદ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.