(એજન્સી) લંડન, તા.૩૦
પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ નિરવ મોદીએ ધરપકડ ટાળવા સાક્ષીને ર૦ લાખની લાંચની ઓફર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ લંડનની કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી. નિરવ મોદીને જામીન અરજીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. તે દરમ્યાન આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
સરકારી વકીલ ટોબીએ કહ્યું કે નિરવ મોદીએ આશિષ લાદ નામના એક સાક્ષીને બોલાવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નિરવ મોદીએ સાક્ષીને કોર્ટમાં હાજર નહીં રહેવા જણાવ્યું હતું. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે જો નિરવ મોદીને જામીન અપાશે તો તે ભાગી જશે. જામીન આપવામાં જોખમ છે. નિરવ મોદીની સુચનાથી પીએમબી કાંડ સાથેના ટેલિફોન રેકોર્ડનો પણ નાશ કરાયો હતો. નિરવ મોદીના વકીલે કોર્ટને જણાવ્યું કે તેના અસીલની ભાગી જવાની શકયતા નથી. તેણે લંડનમાં ફલેટ રાખ્યા છે અને બેંક એકાઉન્ટ ખોલવા પ્રયાસ ચાલુ છે. આ કેસની સુનાવણી મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથનોટની કોર્ટમાં ચાલી રહ્યા છે. નિરવ મોદીના વકીલે ક્લેર મોન્ટગોમરી પણ વિજય માલ્યાના વકીલ હતા. જિલ્લા જજ મૈરી મૈલોને નિરવ મોદીની જામીન અરજી રદ કરી હતી.